ગાંધીનગર: ગુજરાત સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દિપાવલી નૂતન વર્ષ તહેવારોના અવસરે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો મુખ્યમંત્રીનો કર્મયોગી હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે.
ડિજિટલ ટ્રાનઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે.
સીએમ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દિપાવલી ના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે. તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગાર ને વેગ મળશે. પ્રવર્તમાન સ્થિતીમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.
