અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને અનેક તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સાથે રાજ્ય સરકાર દ્વારા ચાર મોટા શહેરમાં રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે હવે 31 ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી અને ઉજવણી પર પ્રતિબંધ લગાવી દીધો છે. DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાત્રી પાર્ટી કે ઉજવણી કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
DCP કંટ્રોલ હર્ષદ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, નાતાલ અને 31 ડિસેમ્બરે ન્યુ યરની ઉજવણી રાત્રે 9 પછી નહીં થઈ શકે. જ્યારે દિવસ દરમિયાન કોરોના ગાઈડલાઈન મુજબ લોકો ન્યૂ યર અને નાતાલની ઉજવણી કરી શકશે. નિયમનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે.
DCP પટેલે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન લોકો કોરોના ગાઈડલાઈન મુજબ નાતાલ અને ન્યૂ યરની ઉજવણી કરી શકે છે. ક્લબોમાં દિવસ દરમિયાન ડાન્સ પાર્ટી કે પાર્ટી માટે પરમિશન આપવી કે નહીં? તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી પણ સ્પેશયલ બ્રાન્ચ આ અંગે નિર્ણય લેશે.
