દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કોલ કરવા માટે, ગ્રાહકોને 1 જાન્યુઆરીથી નંબર પહેલાં ઝીરો મૂકવો ફરજિયાત રહેશે. દૂરસંચાર વિભાગ એ તેનાથી સંબંધિત ટ્રાઇના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એ 29 મે 2020 ના રોજ આવા કોલ માટેના નંબર પહેલાં ‘ઝીરો ની ભલામણ કરી હતી.
20 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં, ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે લેન્ડલાઇનથી મોબાઈલમાં નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફાર માટેની ટ્રાઇની ભલામણો સ્વીકારવામાં આવી છે. આનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ માટે પૂરતા નંબરો બનાવવાની સુવિધા મળશે.
પરિપત્ર મુજબ નિયમ લાગુ કર્યા પછી, લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા માટે, નંબર પહેલાં શૂન્ય ડાયલ કરવું પડશે. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓએ લેન્ડલાઇનના તમામ ગ્રાહકોને ઝીરો ડાયલ કરવાની સુવિધા આપવાની રહેશે. આ સુવિધા હાલમાં તમારા વિસ્તારની બહાર કોલ માટે ઉપલબ્ધ છે.
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ફિક્સ લાઈન સ્વીચમાં યોગ્ય જાહેરાત કરવી જોઈએ, જેથી ફિકસ્ડ લાઇન સબ્સ્ક્રાઇબર્સને તમામ ફિક્સ મોબાઇલ કોલ માટે 0 ડાયલ કરવાની જરૂરિયાત વિશે જણાવવું જોઈએ.
ટેલિકોમ કંપનીઓને આ નવી સિસ્ટમ અપનાવવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે વધારાના 254.4 કરોડ નંબરો બનાવવાની મંજૂરી મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.
