મ્યાનમારની સેનાએ સોમવારે સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સુ કીની અટકાયત કરીને તખ્તોપલટ કર્યું છે. સેનાએ જાહેરાત કરી છે કે, તેણે એક વર્ષ માટે ઇમરજન્સી સ્ટેટ હેઠળ દેશનો કબ્જો મેળવ્યો છે.
સિવિલિયન ગવર્નમેન્ટ અને શક્તિશાળી સેનાની વચ્ચે તણાવ વધ્યા બાદ આ પગલું લેવામાં આવ્યુ છે. સેનાએ મ્યાનમારમાં ચૂંટણીમાં કપટ કરવાનો આરોપ લગાવ્યો છે.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, યંગૂન મુખ્ય શહેરમાં સીટી હોલ બહાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્ય સંચાલિત એમઆરટીવી ટેલિવિઝને એક ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, તેઓ ટેકનીકલ મુદ્દાઓના કારણે પ્રસારણ કરવામા અસમર્થ છે.
જણાવી દઇએ કે અગાઉ મ્યાનમારની સેનાએ પોતાના પ્રમુખ વડાના વિવાદિત નિવેદનોને શનિવારે ફગાવી દીધી હતી, જેને તખ્તાપલટની ચેતવણી માનવામાં આવી રહી હતી. સેનાએ દાવો કર્યો હતો કે મીડિયાએ તેમના નિવેદનની ખોટી અર્થઘટન કરી હતી. ગત સપ્તાહે મ્યાનમાર સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે ગત વર્ષે નવેમ્બરની ચૂંટણીમાં થયેલી કપટથી સેનાની ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવે તો બળવો થવાની સંભાવના નકારી શકાય નહીં. આ નિવેદન બાદ મ્યાનમારમાં રાજકીય ચિંતા વધી ગઈ હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, કમાન્ડર ઇન ચીફ, સિનિયર જનરલ મીન આંગ લેંગે બુધવારે પોતાના ભાષણમાં વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું કે, જો કાયદાઓનો યોગ્ય અમલ કરવામાં નહીં આવે તો બંધારણ રદ કરી શકાય છે. આ સિવાય ઘણાં મોટા શહેરોના રસ્તાઓ પર લશ્કરી વાહનોની અસામાન્ય જમાવટથી ચિંતા વધુ તીવ્ર બનાવવામાં આવી.
જોકે, સેના તરફથી શનિવારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, કેટલાક સંગઠનો અને મીડિયાએ કોઈપણ આધાર વગર દાવો કર્યો છે કે, સેનાએ બંધારણને રદ્દ કરવાની ચેતવણી આપી છે, મિંગ આંગ લેંગના ભાષણને સાચા સંદર્ભમાં લેવામાં આવ્યો નથીં, વાસ્તમાં તે બંધારણની પ્રકૃતિને લઈને તેમના વિચાર હતા.
મ્યાંમારમાં આઠ નવેમ્બરે થયેલી ચૂંટણીમાં સત્તાવાદી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીને 476માંથી 396 સીટો પર જીત મળી હતી, તે પછી સ્ટેટ કાઉન્સલર આંગ સાન સૂચીને વધુ પાંચ વર્ષો માટે સરકાર બનાવવાની તક મળી ગઈ હતી. સેનાની સમર્થનવાળી યૂનિયન સોલિડેરિટી એન્ડ ડેવલપમેન્ટ પાર્ટીને માત્ર 33 સીટો ઉપર જ જીત મળી હતી. સેના અનેક વખત સાર્વજનિક રૂપથી ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવી ચૂકી છે.
