પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા એક રત્નકલાકારની તેની સોસાયટીની બહાર કેબિન ધરાવતા એક યુવાને તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ બનાવના પગલે પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને લાશને પીએમ માટે ખસેડી હત્યા કરનાર યુવાનની શોધખોળ હાથ ધરી છે
ભાવનગર શહેરમાં ફરી ગુનાહિત કૃત્યોનું પ્રમાણ વધી રહ્યું છે અને જેમાં હત્યા જેવા બનાવોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે ફરી એક હત્યાની ઘટના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બનવા પામી છે. જેમાં આ વિસ્તારની અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા રણછોડ ધરાજીયા નામના રત્નકલાકારને તેની સોસાયટીની બહાર કેબિન ધરાવતા યુવાન સાથે બે દિવસથી નાની મોટી માથાકૂટ ચાલતી હતી.જે માથાકૂટ આજે હત્યામાં પરિણમી હતી.જેમાં કેબિન ધારક યુવાને મોડી સાંજે રણછોડ ની સોસાયટીમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી છાતી ના ભાગે જીવલેણ ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો તેમજ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.તાકીદે પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી આ બનાવમાં હત્યા કરી નાસી છૂટનાર કેબિન ધારક યુવાનની શોધખોળ હાથ ધરી છે.
