અખરોટ એ શક્તિનો સારો સ્રોત માનવામાં છે. ઉપરાંત શરીર માટે પોષક તત્વો, ખનિજો, એન્ટીક્સિડેન્ટ્સ અને વિટામિન્સ પણ ભરપુર માત્રામાં હોય છે. અખરોટના તેલનો ઉપયોગ ઘણા સ્વરૂપોમાં થાય છે. તેના તેલનો ઉપયોગ રસોઈ માટે તેમજ દવાઓ અને સુગંધ માટે થાય છે. અખરોટ મેંગેનીઝ, કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ જેવા ઘણા ખનિજો પણ પૂરા પાડે છે. ખાસ કરીને અખરોટ હૃદય અને મગજ માટે ફાયદાકારક હોય છે. દરરોજ મુઠ્ઠીભર અખરોટનું સેવન કરવાથી શરીરને ખનીજ, વિટામિન અને પ્રોટીન મળે છે. અખરોટમાં મોટી માત્રામાં વિટામિન ઇ હોય છે. વિટામિન ઇ હાનિકારક ઓક્સિજનથી શરીરનું રક્ષણ કરે છે. વિટામિન ઇ સિવાય, તેમાં શિપોપ્લેવિન, નિયાસિન, થાઇમિન, પેન્ટોથેનિક એસિડ, વિટામિન બી 6 અને વિટામિન બી કોમ્પ્લેક્સ ગ્રુપના ફોલેટ્સ જેવા વધુ આવશ્યક વિટામિન્સ પણ હોય છે.
અખરોટનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. અખરોટને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટમાં વિવિધ પ્રકારના સંયોજનો હોય છે, જેમ કે મેલાટોનિન, વિટામિન ઇ, કેરોટીનોઇડ્સ, જે આપણા સ્વાસ્થ્યને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ સંયોજનો કેન્સર, વૃદ્ધાવસ્થા, બળતરા અને મગજને લગતા રોગો સામે રક્ષણ આપે છે.
અખરોટમાં મોનોઝેચ્યુરેટિડ ફેટ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. તે સિનોલિક એસિડ, આલ્ફા ફીનોવિક એસિડ અને અરાચિડોનિક એસિડ બી જેવા ઓમેગા-3 ફેટી એસિડ્સની નોંધપાત્ર માત્રામાં જોવા મળે છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સાથે અખરોટના સેવન કરવાથી બ્લડપ્રેશર, કોરોનરી ડિસીજ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
