પંચમહાલ: દાંમ્પત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-નાની બાબતે થતા ઝગડા કયારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. ગોધરા શહેરમા પતિ-પત્ની વચ્ચેના ઝગડો થતા ઉશ્કેરાયેલા પતિએ ગળે દોરડા વડે આત્મહત્યાનો પ્રયાસ કરવા રૂમમા પુરાઈને બારણુ બંધ કરી દીધુ હતું. ડરી ગયેલી પત્નીએ મહિલા અભયમ હેલ્પલાઇન 181ની મદદ લીધી હતી. ટીમ બનાવસ્થળે પહોંચી હતી. પતિને બચાવી લીધો હતો.
ગોધરા નજીક રહેતા નીલમ બેનના રમેશભાઈ સાથે લગ્ન કર્યા છે. રમેશભાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે,જ્યારે નીલમબેન પણ સરકારી નોકરી કરે છે. (નામ બદલ્યા છે). ગત રોજ નિલમબેનના પુત્રને પોતાના પિતા સાથે વાત કરવી હોવાથી નિલમ બેનને જાણ કર્યા વગર તેમના પુત્રે પોતાના પિતાને ફોન કર્યો હતો.દરમિયાન તેના રમેશભાઈએ પોતે શાળામાં ફરજ ઉપર હોવાનું જણાવી મને કેમ ફોન કરીને હેરાન કરે છે એમ જણાવી નીલમબેન સાથે અપશબ્દો બોલી ઝગડો કરવા લાગ્યા હતા.જેનાબાદ રમેશભાઈ ઘરે આવ્યા હતા.
દરમિયાન નિલમ બેને પોતાના પતિને સમજાવવા માટે 181 મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી જેથી ગોધરાની ટીમ નિલમબેનની મદદ માટે સ્થળ પર જવા રવાના થઇ હતી. બીજી તરફ આ બાબતની જાણ રમેશભાઈને થતા તેઓએ આપઘાત કરવા મકાનમાં એક રૂમમાં પુરાઈ ગયા હતા.
અભયમ ટીમે રમેશભાઈને રૂમ ખોલાવી બહાર કાઢવા ખુબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ કોઈ જવાબ નહી આપતાં આખરે ટીમે સ્થાનિક રહીશોની મદદ લઈ રૂમનો દરવાજો તોડી અંદર તપાસ કરી હતી.દરમિયાન રમેશભાઈ બેહોશ અને ગળે દોરડું લટકાવેલી હાલતમાં હતા.તરત જ તેમને નીચે ઉતારી પ્રાથમિક સારવાર આપવામા આવતા તેમનો જીવ બચી જતા પરિવારને નુકશાની માથી બચાવી લીધો હતો.અને પોલીસ અને અભયમ ટીમે નાની નાની વાતોને ઝગડાનુ સ્વરૂપ ના આપીને શાંતિપુર્વક સૂલેહ કરીને રહેવાની સલાહ આપી હતી.
