દેશમાં પ્રથમવાર ડ્રાઇવર વગર મેટ્રો ટ્રેન દોડવા જઈ રહી છે. આ ટ્રેનને આજે પીએમ મોદી લીલી લીલી ઝંડી આપવામાં આવશે. DMRCએ તેના નિવેદનમાં જણાવ્યું છે કે, પીએમ મોદી 28 ડિસેમ્બરે જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી દોડતી દેશની પ્રથમ ઓટોમેટેડ ડ્રાઈવરલેસ ટ્રેન સર્વિસ km 37 કિલોમીટર લાંબી મેજેન્ટા લાઇનનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી નવી દિલ્હીથી દ્વારકા સેક્ટર 21 સુધીની 23 કિલોમીટર એરપોર્ટ એક્સપ્રેસ લાઈનની યાત્રા માટે સંપૂર્ણ ઓપરેશનલ નેશનલ જનરલ મોબિલીટી કાર્ડ (NCMC)પણ જારી કરશે. ઉપરાંત દેશના કોઈપણ ભાગમાંથી જારી કરાયેલ રૂપે-ડેબિટ કાર્ડ ધરાવનાર કોઈપણ તેનો ઉપયોગ કરીને રૂટ પર મુસાફરી કરી શકશે. પીએમઓએ કહ્યું કે, આ સુવિધા 2022 સુધીમાં દિલ્હી મેટ્રોના સંપૂર્ણ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.
કમિશનર એફ રેલ્વે સેફ્ટી (CMRS)એ સ્પષ્ટ કર્યું છે કે, ડ્રાઇવર વિના ટ્રેન ચલાવવાના તમામ ધોરણો પૂરા થાય છે. યુટીઓને તમામ પરિમાણો પર સંતુષ્ટ થયા પછી લોન્ચ કરવાની મંજૂરી આપી છે. આ ટ્રેનમાં ભારતીય રેલ ચેક સિસ્ટમ છે, જે હાઇ રિઝોલ્યુશન કેમેરા પર આધારિત છે. સૂત્રો કહે છે કે આ કેમેરો રેલ્વે ટ્રેકમાં થતી સમસ્યાઓની માહિતી પણ આપે અને કંટ્રોલરૂમને જાણ કરે છે. હવે તે આદેશ કેન્દ્રથી નિયંત્રિત થશે. એવું કહી શકાય કે સંપૂર્ણ ડ્રાઇવરલેસ થવા માટે થોડો વધુ સમય લેશે.
દિલ્હી મેટ્રોના મેજેન્ટા લાઇન (જનકપુરી વેસ્ટ-બોટનિકલ ગાર્ડન) પર ડ્રાઇવરલેસ ટ્રેન સેવા શરૂ થયા બાદ પિંક લાઇન (મજલિસ પાર્ક-શિવ વિહાર) પર 2021ના મધ્યમાં ડ્રાઇવરલેસ ટ્રેન સેવા શરૂ થવાની સંભાવના છે. એનસીએમસી સંપૂર્ણ રીતે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર કામ કરશે.
