બિમલ માંકડ,કચ્છ: પોતાની સુરક્ષા અને બીમારીનો પ્રસાર સીમિત કરવા માટે કોવિડ-19 માટે સરકારની ગાઈડ લાઇનના અમલ અને વેક્સિન લેવાની ખાસ જરૂરતને ધ્યાનમાં રાખી સાંસદ વિનોદ ચાવડાની પ્રેરણાથી વિનોદ ચાવડા ફેન કલબ ભુજ અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્યથી “કોરોના વેક્સિન જન જાગૃતિ અભિયાન” તારીખ ૧૨ જાન્યુઆરી ૨૧ વિવેકાનંદ જયંતિથી કોરોના મહામારી નેસ્ત નાબૂદ થાય ત્યાં સુધી જન જાગૃતિ રથ કચ્છના દરેક તાલુકા અને માળીયા મોરબી ફરતો રહેશે.

દરેક લોકોને કોરોના વેક્સિનનો લાભ લે તેવી અપીલ સાથે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દિર્ગદ્રષ્ટિ સમયસરના પગલાને કારણે વૈશ્વિક મહામારી કોરોના સામે ભારતે જંગ જીતી છે. હવે તેને નેસ્ત નાબુદ કરવા વેકસીન બનાવી છે. ત્યારે તેનો લાભ દરેક જન જન સુધી પહોંચવા સરકારે પગલાં લીધા છે.
16મી જાન્યુઆરીથી રસી આપવાનું શરૂ થશે “આત્મ નિર્ભર ભારત”ની યોજના અંતર્ગત ભારતમાં બનેલ વેક્સિન ભારતની સાથે વિશ્વના દેશોમાં પણ નિર્યાત થશે. તારીખ 12 જાન્યુઆરી ૨૦૨૧ વિવેકાનંદ જન્મ જયંતિ દિને જનજાગૃતિ અભિયાન રથનું પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ વર્ચુયલ પ્રસ્થાન કરાવશે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજ ધારાસભ્ય નિમાબેન આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કન્નરની ઉપસ્થિતિમાં રથ સવારે ૯ : ૩૦ વાગ્યે સરકીટ હાઉસ ભુજ ખાતેથી પ્રસ્થાન કરશે જે પ્રથમ ભુજ તાલુકાનાં દરેક ગામોમાં વિચરશે, વિનોદ ચાવડા ફેન કલબ ભુજની આગેવાની હેઠળ રથના સૌજન્ય દાતા કચ્છ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ તેનું લાયઝિંગ કરી માર્ગદર્શન આપશે.
