નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, ભારતમાં બુધવારે કોરોનામાં 26,382 નવા કેસ નોંધાયા થયા છે, જે બાદના દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 99,32,548 થઈ છે. સાથે તે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં રિકવરી દર હવે 95.21% રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશભરમાં 387 લોકોના મોત સાથે કોરોનો વાયરસથી મરનારા લોકોનો આંકડા1,44,096 પહોંચ્યો છે. બીજી તરફ ભારતના કુલ ડિસચાર્જ / ઠીક કિસ્સાઓમાં છેલ્લા 24 કલાકમાં 33,813 છે, તેની સાથે તે 94,56,449 લોકો આ મહામારીમાંથી મુક્ત થયા છે. સાથે દેશમાં કોરોના મૃત્યુ દર 1.45% છે.
દેશમાં કુલ સક્રિય કેસ 3,32,002 છે, જેમાં કુલ કેસલોડના 3.34% સમાવેશ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અનુસાર, 15,66,46,280 નમુનાએની તપાસ 15 ડિસેમ્બરે કરવામાં આવી હતી, જેમાંથી મંગળવારના 10,85,625 પરીક્ષણ માટે આવ્યા છે.
દરમિયાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, છત્તીસગ, પશ્ચિમ બંગાળ, કેરળ અને મહારાષ્ટ્ર- દેશમાં કોરોના સક્રિય કેસના કુલ 19% કેસ છે.
7 ઓગસ્ટના રોજ ભારતની કોરોના વાયરસ ટેલી 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખને પાર કરી ગયા હતા. તે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર કરી ગયો છે.
ગુજરાતની જો વાત કરવામાં આવે તો, રાજ્યમાં દિવાળી બાદ વધી રહેલા કોરોનાના નવા કેસોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમી આવવા લાગી છે. મંગળવારે સામે આવેલા કુલ 1120 નવા કેસોમાં સૌથી વધુ 239 દર્દીઓ અમદાવાદ જિલ્લાના છે. આ સિવાય સુરત જિલ્લામાં 167, વડોદરામાં 143, રાજકોટમાં 124, ગાંધીનગરમાં 51 અને જામનગર જિલ્લામાં 33 દર્દીઓ નોંધાયા છે.
