ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અમરેલી જિલ્લાને આગવી ભેટ આપી છે. જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવાઓ સહિતની સેવા ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
અત્યાર સુધી અમરેલી પ્રાંતમાં સમાવિષ્ટ બગસરા હવે નવો પ્રાંત બનશે. નવા બગસરા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ તા.ર૬ જાન્યુઆરી-ર૦ર૧થી નવો બગસરા પ્રાંત કાર્યરત થશે.
