ભરત સુંદેશા, બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદ પાસે કેનાલ માંથી ડીસા ના ખેડૂત ની હાથ બાંધેલી લાશ મળી આવી હતી,જોકે આ ખેડૂત દિયોદર થી અપહરણ થયું હોવાનું પરિવારજનો ને આશંકા હતી અને ત્યારબાદ આજે વહેલી સવારે હાથ બાંધેલી લાશ મળી આવી હતી.જોકે અપહરણ બાદ હાથ બાંધી ને નહેરમાં ફેંકી દીધેલ હોવાની શંકા સેવાઇ રહી છે.
ડીસા નો ખેડૂત અને દાડમ નો વેપાર કરતા સંજય દેવાજી માળી બે દિવસ અગાઉ કામ અર્થે દિયોદર ગયેલ અને દિયોદર થી અપહરણ થયું હોવાનું પરિવારજનો ને શંકા હોઈ તેઓ શોધખોળ કરી રહ્યા હતા તે દરમ્યાન આજે વહેલી સવારે હાથ બાંધેલી લાશ થરાદ પાસે કેનાલ માંથી મળી આવતા પરિવારજનો એ તપાસ કરતા આ લાશ સંજય દેવાજી માળી ની હોવાનું જાણવા મળેલ અને લાશ જોતા સંજયનું દીયોદર થી અપહરણ કરી જોઈ ઈસમો એ મારી નાખી હાથ બાંધીને લાશ ને નહેર માં નાખી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે.
ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને લાશ નો કબ્જો લઈ પી એમ અર્થ થરાદ સિવિલ માં લાવેલ અને મૃતક સંજય ના પરિવારજનો ના નિવેદન ના આધારે વધુ તપાસ થરાદ પોલીસ ચલાવી રહી છે.
જોકે સંજય નું મૃત્યુદેહ જોતા તેનું અપહરણ કરી હત્યા કરીને હાથ બાંધી લાશ ને નહેરમાં ફેંકી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે પોલીસ આ હત્યા કરનાર કોણ?શુ અદાવત માં હત્યા કરાઈ હશે અને પરિવારજનો એ જેના પર શંકા વ્યક્ત કરેલ તેમની પૂછપરછ બાદ સમગ્ર ઘટના બહાર આવશે.
