ભાવેશ રાવલ, જૂનાગઢ: જૂનાગઢના માંગરોળ તાલુકામા પંજાબ વિસ્તારમાં તરિકે ઓળખાતા બંદર પર લાંગરેલી બે બોટમાં આગ લાગી હતી. આ આગ બેકાબૂ થતાં બાજુમાં રહેલી વધુ ત્રણ બોટમાં આગ લાગતા પાંચ બોટોમાં આગ લાગી હતી. જેમા બે બોટ બળીને ખાક થઇ ગઈ હતી. સ્થાનિકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પણ આગ બે કાબુ બની હતી.
પંજાબ જેટી વિસ્તારમાં પાર્કિંગમાં મુકેલી બોટોમા અચાનક આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે. 3 બોટો બળીને ખાક જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન થયું હતું. આગના ધુમાડા દૂર દૂરથી નજરે ચડયા હતાં.પાલીકા ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.
ખારવા સમાજના અગ્રણી વેલજી ભાઈ મસાણી, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા સહિત આગેવાનો અને ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો. ચોરવાડ કેશોદ અને વેરાવળથી ફાયર ફાઇટર બોલાવાયા.
આગ લાગવાનો ચોકકસ કારણ જાણવા નથી મળ્યું, પરન્તુ કોલ્ડ રૂમમાં આવેલા થર્મોકોલના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધી એકધારો પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. નવી જેટી વિસ્તાર કે, જે પંજાબ તરિકે ઓળખાય છે તે વિસ્તારમાં પહેલી વખત પાર્ક કરાયેલ બોટમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
